Sunday, 24 August 2025

કૃષ્ણ

 મા કને થી બાળ લૈને નિકળો,

ચોકીઓને થાપ દૈને નિકળો.


હો ભલે અંધાર કાળી રાતનો,

ટોપલે અજવાસ લૈને નિકળો.


જળ વિખૂટાં થૈને રસ્તો આપશે,

સાથમાં અવતાર લૈને નિકળો.


છો, ભલે બારેય મે' ખાંગા થયા,

શેષનો સથવાર લૈને નિકળો.

એક દિ'ની બાળકી પણ બોલશે,

સૌનો તારણહાર લૈને નિકળો. 


17/08/2025 નંદ મહોત્સવ. 

No comments: