સઘળા સરવાળાનો ઉત્તર? શૂન્ય; કહો કે કાંઇ નહીં.
માણસનું અસ્તિત્વ જગતમાં, પરપોટાથી જુદું નથી;
વિદાય ટાણે વસમું લાગે, પછી પૂછો તો? કાંઇ નહીં.
કૈં લોકો ચહેરા પર મહોરાં પહેરી રસ્તે ઊભાં છે;
દૂરથી જોતાં અંગત ભાસે, નજીક જાતાં? કાંઇ નહીં.
સહુ કોઇ પોતાનાં દર્દો લઈ ને, દર દર ભટકે છે;
મંદિર - મસ્જિદ, તિરથ કીધાં; અસર દુઆની? કાંઇ નહીં.
શૂન્ય થી ઉદ્ભવ જીવનનો, ને પૂનઃ શૂન્યમાં ભળી જશે;
શૂન્ય મહીં જ્યાં મળે શૂન્ય તો? શૂન્ય, કહો તો, કાંઇ નહીં.
૨૩/૦૧/૨૦