Sunday 2 February 2014

ધર્મ

બદલી ને નામ કૃષ્ણ નું રાખે કોઈ ખુદા
કહેશે સુરજ ને આફતાબ શું ફેર પડે છે.
 
પઢશે કોઈ કુરાન કે પઠશે કોઈ ગીતા
સિદ્ધાંત પ્રેમ શાંતિનો સહુમાં ફરે છે.
 
ઈશ્વર છે એક તેણે ઘડ્યાં માનવી સરખાં
હિંદુ છે કોઈ, કોઈ મુસલમાન થયો છે.
 
હિંદુ હો કે મુસ્લિમ હો કે હો પારસી, શીખ, જિન
લોહી બધા ની રગ રગ માં લાલ વહે છે.
 
સર્વ ધર્મ નો સાર છે બસ શાંતિ, પ્રેમ, કર્મ
ક્યારે સમજશું આપણે આ આપણો માનવ ધર્મ.

No comments: