બદલી ને નામ કૃષ્ણ નું રાખે કોઈ ખુદા
કહેશે સુરજ ને આફતાબ શું ફેર પડે છે.
પઢશે કોઈ કુરાન કે પઠશે કોઈ ગીતા
સિદ્ધાંત પ્રેમ શાંતિનો સહુમાં ફરે છે.
ઈશ્વર છે એક તેણે ઘડ્યાં માનવી સરખાં
હિંદુ છે કોઈ, કોઈ મુસલમાન થયો છે.
હિંદુ હો કે મુસ્લિમ હો કે હો પારસી, શીખ, જિન
લોહી બધા ની રગ રગ માં લાલ વહે છે.
સર્વ ધર્મ નો સાર છે બસ શાંતિ, પ્રેમ, કર્મ
ક્યારે સમજશું આપણે આ આપણો માનવ ધર્મ.
બદલી ને નામ કૃષ્ણ નું રાખે કોઈ ખુદા
કહેશે સુરજ ને આફતાબ શું ફેર પડે છે.
No comments:
Post a Comment